દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ ભાજપના કાર્યકરો દેશભરમાં ઢોલ વગાડીને ઉજવણી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષથી ચાલી રહેલા દુષ્કાળને ખતમ કરીને જંગી બહુમતી સાથે દિલ્હીમાં સત્તા મેળવવામાં સફળ રહી છે અને આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે. નવી દિલ્હી બેઠકથી આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને જંગપુરા બેઠકથી મનીષ સિસોદિયા જેવા દિગ્ગજ નેતા ચૂંટણી હારી ગયા છે. ત્યારે બીજી તરફ દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર ઉજવણીમાં સામેલ થવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
https://x.com/ANI/status/1888220780993089679
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જય, યમુના મૈયા કી જય સાથે કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહ અને શાંતિ છે. દિલ્હી આપ-દા મુક્ત બની ગઈ છે.પીએમ મોદીએ કહ્યું કેહું દિલ્હીના દરેક પરિવાર, દરેક દિલ્હીવાસી પ્રત્યે માથું નમાવીને તેમનો આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીએ અમને દિલથી પ્રેમ આપ્યો છે. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારો પ્રેમ વિકાસના રૂપમાં દોઢ ગણો વધારે આપીશું. પીએમ મોદીએ કહ્યું કે આજે દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ છે.