અમદાવાદમાં આવતીકાલ તા. 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન-ડે સીરીઝની અંતિમ વન ડે મેચ રમાનાર છે ત્યારે મોદી સ્ટેડિયમમાં મેચ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ભારતે પહેલી બે વન ડે જીતી લીધી હોવાથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો વ્હાઈટવોશ કરવાના ઈરાદા સાથે ઉતરશે જ્યારે ઈંગ્લીશ ટીમ આબરૂ બચાવવા મેદાનમાં ઉતરશે.ભારતીય સમય મુજબ, મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા કરવામાં આવશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 108 વનડે મેચ રમાઈ છે. ભારતીય ટીમે 59 મેચ જીતી છે, જ્યારે ઇંગ્લિશ ટીમે 44 મેચ જીતી છે. આ ઉપરાંત બંને વચ્ચે 3 મેચ અનિર્ણિત રહી હતી અને 2 મેચ ટાઇમાં સમાપ્ત થઈ હતી.