ગુજરાત સરકાર દ્વારા બિનકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં બિનકાયદેસર રીતે ચાલી રહેલા બાંધકામો વિરુદ્ધ યુદ્ધ છેડવામાં આવ્યું હતું. બેટદ્વારકા અને દ્વારકા સહિત અનેક યાત્રાધામોમાં બિનકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે બિનકાયદેસર રીતે વસી રહેલા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 15 બાંગ્લાદેશીઓની ઓળખ કરીને હકાલપટ્ટી કરવામાં આવી છે.ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં બિનકાયદેસર વસતા બાંગ્લાદેશ સહિતના કોઇ પણ દેશના બિનકાયદેસર રહેતા નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. ડિપોર્ટેશન પ્રક્રિયા માટે પોલીસને નિર્દેશ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં બિનકાયદેસર રીતે વસી રહેલા નાગરિકોને હાંકી કાઢવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.