અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગત રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે શાનદાર જીત મેળવી હતી. જોકે આ મેચ એટલા માટે પણ ખાસ હતી કારણકે આ દરમિયાન લોકોને ખાસ અંગદાન માટે પ્રેરિત કરવા એક અભિયાન ચલાવાયું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી વન-ડે મેચ રમાઈ હતી અને જ્યાં અંગદાન અભિયાન અંતર્ગત લોકોએ અંગદાન કરવાના શપથ લીધા હતા ત્યારે આ મહાઅભિયાનમાં અમદાવાદની કે.ડી હોસ્પિટલ દ્વારા સહયોગ આપવામા આવ્યો હતો.
બીસીસીઆઈ અને આઈસીસી દ્વારા શરૂ કરાયેલા અંગદાન જાગૃતિના અભિયાનને અમદાવાદની કે.ડી હોસ્પિટલ દ્વારા પૂર્ણ રીતે સહયોગ કરવામા આવ્યો હતો અને આ અભિયાન અંતર્ગત ભારત-ઈંગ્લેન્ડની મેચમાં ઉપસ્થિત લોકોએ અંગદાન કરવાના શપથ લીધા હતા.આ અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકોએ અંગદાન કરવાના શપથ લીધા હતા.