ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીઓ મહાકુંભ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘દેશના 110 કરોડ હિન્દુઓમાંથી 50 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી છે.
મહાકુંભ સંબંધીત તમામ પ્રસ્તાવો નીતિન ગડકરીએ સ્વિકાર્યા છે. મારી કેબિનેટે પણ 22 જાન્યુઆરીએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી હતી. શાસ્ત્રીય બ્રિજ પાસે વધુ એક બ્રિજ બનાવવો ખૂબ જરૂરી છે.’ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ મહાકુંભ અંગે સૌથી મહત્ત્વની જાહેરાત કરતા કહ્યું કે, ‘મહાકુંભમાં 50થી 55 કરોડ શ્રદ્ધાળુઓ આવતા ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને ત્રણ લાખ કરોડનો લાભ થશે. મહાકુંભના નામે જાહેર કરાયેલા બજેટથી માત્ર મહાકુંભ જ નહીં પ્રયાગરાજની સુંદરતામાં પણ વધારો થધયો છે. 144 વર્ષ બાદ યોજાનારા મહાકુંભ પાછળ 15 હજાર કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે, જેની સામે ત્રણ લાખ કરોડનો લાભ થયો છે.