8 દિવસ માટે અવકાશમાં ગયેલી સુનિતા વિલિયમ્સ 8 મહિના થયા હોવા છતાં હજી પૃથ્વી પર પરત ફરી નથી. 8 મહિનાથી અવકાશમાં રહેવાના કારણે તેમના શરીરમાં ઘણા ફેરફાર થયા છે. ત્યારે અહેવાલ સામે આવ્યા છે કે નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બેરી વિલ્મોર જલ્દી પૃથ્વી પર પરત ફરશે. બંને અંતરિક્ષ યાત્રી આઠ મહિના કરતા વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)માં રહે છે. બોઇંગ સ્ટારલાઇનરમાં ખરાબીના કારણે બંને અંતરિક્ષ યાત્રીની વાપસીને ટાળી દેવાઈ હતી.
આ મિશન ફક્ત આઠ દિવસનું હતું પરંતુ, હીલિયમ લીક અને થ્રસ્ટરમાં ખરાબીના કારણે તેમની વાપસી ન થઈ શકી. હવે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને ઈલોન મસ્કની કંપની SpaceX ડ્રેગન ક્રૂ કેપ્સૂલથી પરત લાવવામાં આવશે. જોકે તેમના પરત આવ્યા બાદ તેમને ઘણા જોખમોનો સામનો કરવો પડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સુનિતા વિલિયમ્સ 12થી 19 માર્ચની વચ્ચે પૃથ્વી પર પરત ફરી શકે છે. તેમના શરીરમાં તેમના સુકાયેલા ગાલ અને દુર્બળ શરીર જોઈને તબીબોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ તેઓને ચાલવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.