ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે છત્રપતિ શિવાજી મહારાજ વિશે જાણતી નહી હોય. છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમાટ્ર કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ એક મરાઠા પરિવારમાં થયો હતો. આ કારણોસર તેમની જન્મજયંતિ દર 19 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું. પરંતુ વર્ષ 1674માં તેમને ઔપચારિક રીતે મરાઠા સામ્રાજ્યના છત્રપતિ અથવા સમ્રાટ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. જે બાદથી તેમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજનુ લગ્ન સ્ન 14 મે 1640માં સહબાઈ નિમ્બાલકર સાથે લાલ મહલ, પૂના(હવે પુણે) માં થયુ હતુ. એમના પુત્રનુ નામ સંભાજી હતુ.
શિવાજી મહારાજ કોઇ સામે ઝૂક્યા નથી
મહારાષ્ટ્ર રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજ ભારતના સૌથી બહાદુર સમ્રાટોમાંના એક હતા. ઈતિહાસ સાક્ષી છે કે છત્રપતિ શિવાજી મહારાજ દિલ્હીની ગાદી હોય કે પછી અંગ્રેજો કોઇ સામે ઝૂક્યા નથી.
તેમની જયંતિની ઉજવણીની શરૂઆત વર્ષ 1870 માં પૂણેમાં મહાત્મા જ્યોતિરાવ ફુલે દ્વારા કરવામાં આવી હતી. તેમણે જ રાયગઢમાં શિવાજીની સમાધિની શોધ કરી હતી. બાદમાં સ્વાતંત્ર સેનાની બાલ ગંગાધર તિલકે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવવાની પરંપરા આગળ વધારી હતી અને તેમના યોગદાનને પ્રકાશિત કરતાં શિવાજી મહારાજની છબીને વધુ લોકપ્રિય બનાવી હતી. બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને શિવાજી મહારાજ જયંતિ દ્વારા સ્વતંત્રતા ચળવળ દરમિયાન લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શિવાજી મહારાજ પોતાની અદભૂત વ્યૂહરચના, ઉત્તમ નેતૃત્વ ગુણો માટે જાણીતા હતા. તેમણે ઘણી વખત બ્રિટિશ સેનાને હરાવી હતી.
કહે છે કે છત્રપતિ શિવાજીએ જ ભારતમાં પહેલીવાર ગુરિલ્લા યુદ્ધનો આરંભ કર્યો હતો. તેમની આ યુદ્ધ નીતિથી પ્રેરિત થઈને જ વિયતનામિયોએ અમેરિકાથી જંગ જીતી લીધી હતી. આ યુદ્ધનો ઉલ્લેખ એ કાળમાં રચિત શિવ સૂત્રમાં મળે છે. ગુરિલ્લા યુદ્ધ એક પ્રકારનો છાપામાર યુદ્ધ છે. મોટાભાગે છાપામાર યુદ્ધ અર્ધસૈનિકોની ટુકડીયો અથવા અનિયમિત સૈનિકો દ્વારા શત્રુ સેનાની પાછળ કે પાર્શ્વમાં આક્રમણ કરીને લડવામાં આવે છે.
પુત્ર સંભાજીએ ક્રૂર મોત સ્વીકારી પણ મુસ્લિમ ન બન્યાં
3 એપ્રિલ 1680માં શિવાજી મહારાજના અવસાન બાદ પુત્ર સંભાજી મહારાજે ગાદી સંભાળી અને હિંદુ રાજ્યના રાજા બન્યાં. શિવાજી મહારાજના અવસાન બાદ ઔરંગઝેબે એક ચાલી ચલી હતી અને પોતાના એક સાથી દ્વારા સંભાજી મહારાજ અને તેમના એક સાથીને પકડાવી દીધા હતા અને તેમને રંગલાના વેશમાં સાંકળમાં બાંધીને રાજધાની આગ્રા લવાયા હતા. બીજા દિવસે સંભાજી મહારાજને ઔરંગઝેબની સામે રજૂ કરવામાં આવ્યાં અને તેમને ઈસ્લામ અંગીકાર કરી લેવાની નહીંતર મોત માટે તૈયાર રહેવાનું જણાવ્યું. ત્યારે સિંહ પુત્ર સંભાજી મહારાજ બોલ્યાં કે ઔરંગઝેબ પોતાની દીકરી પણ તેમને પરણાવે તો પણ તેઓ ઈસ્લામ અંગીકાર નહીં કરે, ઈસ્લામ સ્વીકારવાની ના પાડતાં સંભાજીને ક્રૂર મોત આપવામાં આવ્યું. પહેલાં તેમની આંખો ફોડવામાં આવી, ત્યાર બાદ ચામડી ઉતરડી લેવામાં આવી અને પછી એક એક અંગ કાપીને કૂતરાને ખવડાવી દેવામાં આવ્યાં હતા આમ ધર્મ માટે છત્રપતિ સંભાજી મહારાજે શહીદી વહોરી.