ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં મેચ રમાશે. પાકિસ્તાનની ટીમ પોતાની પહેલી મેચ ન્યુઝિલેન્ડ સામે હારી ગઈ છે. ત્યારે પાકિસ્તાન માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ફખર ઝમાન ભારત વિરુદ્ધ રમાનારી મેચમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ફખર ઝમાનની ઈજા અંગે અપડેટ આપ્યું. મોહમ્મદ રિઝવાને કહ્યું કે ફખર ઝમાનના ભારત સામે રમવા અંગે અનિશ્ચિતતા રહેલી છે. અમને ખબર નથી કે ફખર ઝમાન ભારત સામેની મેચ પહેલા સ્વસ્થ થઈ શકશે કે નહીં… જોકે, જો ફખર ઝમાન ભારત સામે રમી શકશે નહીં, તો તે પાકિસ્તાન માટે મોટો ફટકો હશે.ફખર પાકિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન હતો અને હવે તે રમશે નહિ તો પાકિસ્તાનની ટીમ પર વધુ દબાવ આવશે.