લાંબા સમયથી ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સને લઈને જાત જાતની અટકળો લગાવવામાં આવી રહી હતી અને આખરે ગઈકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ બાંદ્ર ફેમિલીકોર્ટે બંનેના ડિવોર્સને મંજૂરી આપી દીધી.હવેથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા પતિ-પત્ની રહ્યા નથી.
https://www.instagram.com/dhanashree9/p/DGIlNjrI9x1/?hl=en&img_index=1
હવે સોશિયલ મીડિયા પર એવા પણ સમાચાર છે કે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ પાસેથી છૂટાછેડા માટે 60 કરોડ રૂપિયા લીધા છે. બંને છેલ્લા દોઢ વર્ષથી અલગ રહેતા હતા. તેમજ બંનેએ સોશિયલ મીડિયા પરથી એકબીજાને અનફોલો પણ કરી દીધા હતા. ગુરુવાર, 20 ફેબ્રુઆરીના રોજ, તેમના છૂટાછેડાની છેલ્લી સુનાવણી બાંદ્રાની ફેમિલી કોર્ટમાં થઈ.
આ દરમિયાન તેઓ ત્યાં હાજર હતા. આ પછી જ સમાચાર આવ્યા કે ચહલે ધનશ્રીને એલિમની તરીકે રૂ. 60 કરોડ આપ્યા. ત્યારબાદ ધનશ્રીને હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઇ રહી છે. જો કે આ વાત સાચી નથી. ધનશ્રીના વકીલ, એડવોકેટ અદિતિ મોહોનીએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી કે, ’60 કરોડની એલિમની રકમના સમાચાર ખોટા છે. આ મામલો હાલમાં કોર્ટમાં છે. હાલ ઘણી ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે.