આજના આધુનીય યુગમાં હજુ પણ અંધ શ્રદ્ધા તેમજ દોરા ધાગાના ધતિંગ જોવા મળી રહ્યા છે ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ આવી શ્રદ્ધા દુર કરી લોકોને બચાવવાનું કાર્ય કરતી હોય છે. જે અંતર્ગત વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી વિજ્ઞાન જાથાની ટીમે રંગેહાથ ધતિંગ કરનારને ઝડપી લીધો હતો. આ ઇસમ ૧૦ વર્ષથી લોકોને છેતરવાનું કામ કરતો હતો જેનો પર્દાફાશ કરવામાં વિજ્ઞાન જાથાની ટીમને સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના કેરાળા ગામે ઘરમાં જોવાની પ્રવૃત્તિ કરતા મુંજાવર બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી છેલ્લા દસ વર્ષથી દોરા–ધાગા, ઈલમના ધતિંગ કરનાર વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની ટીમે સ્થળ પર પહોંચી પોલીસને સાથે રાખી ધતિંગનો પર્દાફાશ કર્યો હતો. વિજ્ઞાન જાથાના દરોડા બાદ ધતિંગ કરનાર શખ્સ મુંજાવર બાપુ સૈયદે મીડિયા સમક્ષ હવેથી તે દોરા ધાગાનું ધતિંગ બંધ કરી દેશે તેમ જણાવ્યું હતું.