કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની ( Sonia Gandhi) તબિયત અચાનક લથડતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, તેમની તબિયત હાલમાં સારી છે. ડોક્ટરોની એક ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે અને તેમને આજે સાંજ સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
એજન્સીના જણાવ્યા અનુસાર તેમની તબિયત સારી છે અને રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ પહેલા પણ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને ગત વર્ષે સપ્ટેમ્બર 2024માં પણ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાવના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.