દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. વિશ્વભરના લોકોમાં તેમની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે રુચિ પેદા કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે. જેથી લોકોને તેમની માતૃભાષા બોલવામાં શરમ ન આવે પરંતુ ગર્વ અનુભવે.
યુનેસ્કોએ 17 નવેમ્બર 1999 ના રોજ કરી હતી ઉજવણી
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની શરૂઆત યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999 ના રોજ કરવામાં આવી હતી અને વર્ષ 2000 માં પહેલી વખત 21 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ભાષાએ અભિવ્યક્તિનું સાધન છે.
માતૃભાષાની સરળ સમજણ એ છે કે બાળકને માતા તરફથી મળેલી ભાષા છે. પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા છે. જે ભાષામાં વિચારી શકાય, લાગણી પ્રદર્શિત કરી શકાય. માતૃભાષાનો સરળ અર્થ એ છે કે જે ભાષા બાળક તેની માં પાસેથી શીખે છે તે. જે ભાષામાં વ્યક્તિ પોતાની લાગણી અભિવ્યકત કરે છે તે. જો વાત કરીએ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીની તો ઘણા સમયથી એવી ફરિયાદ ઊભી થઈ છે કે ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષાની શાળાઓ બંધ થઈ જાય છે અને આજની પેઢીના બાળકોને ગુજરાતી લખતા-વાંચતાં પણ આવડતું નથી. તો આજના દિવસે આપણે એટલો પ્રયત્ન જરૂર કરીએ આપણા પરિવારમાં આજની પેઢીને ગુજરાતી ભાષા બોલતા અને વાંચતાં આવડે તેવી કરી.