આજે 23 માર્ચ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે શહીદ દિવસ છે. વર્ષ 1931માં ભારતના મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકમતે ફાંસી આપી હતી. આ ત્રણેય ક્રાંતિવીરોની શહાદતના યાદમાં દર વર્ષે 23 માર્ચને રોજ ‘શહીદ દિવસ’ તરીકે ઉજવાય છે.નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી અને પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા.. આ સાથે ભગત સિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે પણ પ્રેરણાસ્ત્રોત છે. આ જ કારણ છે કે ભારત દર વર્ષે 23 માર્ચે આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસ ઉજવે છે.23 માર્ચે 1931 ભારતના સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે હસતા હસતા ફાંસીની સજા સ્વીકારી હતી. દેશનો દરેક નાગરિક તેમની શહીદીને સાચા હૃદયથી સલામ કરે છે.
27 સપ્ટેમ્બર, 1907ના રોજ પશ્ચિમી પંજાબના લાયલપુર ખાતે જન્મેલા ભગતસિંહે રાજગુરુ અને સુખદેવ સાથે માત્ર 23 વર્ષની ઉંમરે જ ફંદાને ચુંબન કરીને માતૃભૂમિની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું હતું. ભગતસિંહને 24 માર્ચ 1931ના રોજ ફાંસી આપવાની હતી, પરંતુ 11 કલાક પહેલા જ 23 માર્ચ 1931ના રોજ સાંજે 7.30 વાગ્યે તેમને ફાંસી આપવામાં આવી હતી. ફાંસી વખતે, એવું કહેવાય છે કે ભગતસિંહ હસતા હતા અને બ્રિટિશ સરકાર વિરુદ્ધ નારા લગાવતા ફાંસી પર ચુંબન કર્યું હતું.કેટલાક લોકોનું કહેવું છે કે ભગતસિંહની અંતિમ ઈચ્છા ફાંસીના બદલે ગોળી મારી દેવાની હતી. બ્રિટિશ શાસન દરમિયાન પણ, તેમના બલિદાનથી ઘણા લોકોને આગળ આવવા અને તેમની સ્વતંત્રતા માટે લડવાની પ્રેરણા મળી. આ જ કારણ છે કે ભારત આ ત્રણ ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવે છે.