પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના સૂત્રોના હવાલાથી સામે આવેલ વિગતો અનુસાર, ભારત છોડીને ભાગી ગયા બાદ, તેને પકડવાના વર્ષોથી ચાલી રહેલા પ્રયાસોમાં મેહુલ ચોકસીની ધરપકડને એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિનંતી પર આ ધરપકડ કરવામાં આવી હતી.
મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં તેમની કથિત ભૂમિકાનો આરોપ છે, જ્યાં તેમના પર બેંક સાથે રુપિયા 13,850 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે.