જમ્મુ કાશ્મીરના પહલગામમાં આજે થયેલા આતંકી હુમલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 27થી વધુ પ્રવાસીઓના મોત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
જોકે આ હુમલા અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. અત્રે જણાવવાનું કે પહેલગામ એક એવો વિસ્તાર છે જ્યાં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. માર્ચ મહિનામાં થયેલી બરફવર્ષા બાદ મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં પહોંચે છે. બીજીબાજુ પહલગામ આતંકી હુમલા બાદ સેના એક્શનમાં આવી ગઈ છે. આતંકીઓને શોધવા માટે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હુમલાની ગંભીરતાને જોતા તત્કાલિક શ્રીનગર જવા માટે રવાના થયા છે અને હાઈ લેવલ મીટિંગ બોલાવી છે.