જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમશે નહીં.
બંને ટીમો ફક્ત ICC ટુર્નામેન્ટ અથવા ACC ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે, પરંતુ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ BCCI એ બીજો મોટો નિર્ણય લીધો છે અને આ સંદર્ભમાં ICC ને પત્ર પણ લખ્યો છે.
અત્રે નોંધનીય છે કે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા. ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ એક મોટું પગલું ભર્યું છે અને આઈસીસીને પત્ર લખીને માંગ કરી છે કે ભારત અને પાકિસ્તાનને કોઈપણ ટુર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં ન રાખવા જોઈએ.