જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરશે. NIA હવે આ મામલે કેસ નોંધશે અને તપાસ કરશે. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા આ મામલાની તપાસ NIAને સોંપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આતંકી હુમલા બાદથી જ NIAની ટીમ, જેમાં ફોરેન્સિક ટીમ અને તપાસ ટીમનો સમાવેશ થાય છે, તે ગુનાના સ્થળે હાજર હતી અને નિરીક્ષણ કરી રહી હતી. હવે NIA આ સમગ્ર મામલાની તપાસનું નેતૃત્વ કરશે અને જમ્મુ-કાશ્મીર પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ NIAને તપાસમાં મદદ કરશે.