ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને ચાલી રહેલા વિવાદમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઝટકો લાગ્યો છે. ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી, જેના પર પાકિસ્તાને મધ્યસ્થી સંસ્થા વિશ્વ બેંક (World Bank) ને અપીલ કરી હતી. જોકે, વિશ્વ બેંકે આ મામલે પાકિસ્તાનને મદદ કરવાથી ઇનકાર કરી દીધો છે.
વિશ્વ બેંકના અધ્ય અજય બંગાએ કહ્યું છે કે, આ સંધીમાં અમારી ભૂમિકા માત્ર ફેસિલિટેટર એટલે કે મધ્યસ્થીની છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં જ આ સમજૂતી મામલે ઘર્ષણ થયું છે, જોકે અમે તેને ઉકેલવા માટે હસ્તક્ષેપ નહીં કરીએ. અજય બંગાએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમારી ભૂમિકા માત્ર સુવિધા આપવા સુધી સીમિત છે. સમજૂતી વખતના નિર્ણય મુજબ વિશ્વ બેંક તે ટ્રસ્ટના ફંડથી તટસ્થ નિષ્ણાત અથવા મધ્યસ્થી કોર્ટની નિમણૂક માટે ફીની ચુકવણી કરે છે. આ સિવાય અમારી તેમાં કોઈ ભૂમિકા નથી.’