કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં ધરખમ ફેરપાર કરવામાં આવ્યા છે. આ ફેરફારના ભાગરૂપે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં ફરીથી ચૂંટાયેલી લિબરલ સરકારે આ નિર્ણય લીધો હતો.ગીતા પર હાથ રાખીને અનિતા આનંદે નવા વિદેશ મંત્રી તરીકે શપથ લીધા હતા. તે કેનેડાના વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા પણ છે. કેનેડા અનેક વિદેશી બાબતોના પડકારોનો સામનો કરી રહ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રુડોના સ્થાને આવેલા અને ગયા મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ મેલાની જોલીના સ્થાને અનિતા આનંદને વિદેશ પ્રધાન બનાવ્યા હતા. મેલાની જોલીને ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. અનિતા આનંદે અગાઉ સંરક્ષણ પ્રધાન સહિત અનેક ભૂમિકાઓ સંભાળી છે.