ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઇન્ડિયા-A ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં કેટલાક જાણીતા અને ઉભરતા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે અમુક મોટા નામોની ગેરહાજરી પણ જોવા મળી છે. ખાસ કરીને, બેટ્સમેન શ્રેયસ ઐયરને આ ટીમમાં સ્થાન મળ્યું નથી, જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
BCCIએ અભિમન્યુ ઈશ્વરનને ઇન્ડિયા A ટીમનો કેપ્ટન બનાવ્યો છે. 29 વર્ષના અભિમન્યુએ ભારત માટે અત્યાર સુધીમાં એકપણ મેચ રમી નથી. ઇન્ડિયા A ટીમમાં ઈશાન કિશન, કરુણ નાયર જેવા બેટ્સમેનોની પણ વાપસી થઈ છે. ઇન્ડિયા A ટીમ, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પહેલા બે મેચ રમશે.
શુભમન ગિલ અને સાઈ સુદર્શન બીજી મેચ પહેલા આ ટીમમાં જોડાશે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઇન્ડિયા-A ટીમ કુલ ત્રણ મેચ રમશે. આ પૈકી બે મેચ ઇંગ્લેન્ડ લાયન્સ સામે અને એક મેચ ભારતીય સિનિયર ટીમ સામે રમાશે.
પહેલી મેચ ઇંગ્લેન્ડ લાયન્સ સામે ૩૦ મે થી ૨ જૂન દરમિયાન, બીજી મેચ ૬ જૂન થી ૯ જૂન દરમિયાન, અને સિનિયર ભારતીય ટીમ સામેની મેચ ૧૩ થી ૧૬ જૂન દરમિયાન રમાશે.