જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા બાદ હવે યુદ્ધવિરામ છે. જ્યારે ભારત અને પાકિસ્તાન બંને તરફથી સરહદ પર હુમલા થઈ રહ્યા હતા ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF)એ આતંકવાદને આશ્રય આપતા દેશને નાણાંકીય મદદ પૂરી પાડવા માટે 1 અબજ ડોલરની લોન મંજૂર કરી હતી. આતંકવાદને આશરો આપનારા દેશને નાણાકીય સહાય કરતાં વિશ્વભરમાં આઈએમએફની ટીકા થઈ હતી. જો કે, આઈએમએફએ આ લોનનો પહેલો હપ્તો જારી કરતાં પહેલાં જ 11 નવી શરતો મૂકતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી છે.
IMFએ તેના બેલઆઉટ પેકેજનો આગામી હપ્તો રજૂ કરતાં પહેલાં જ પાકિસ્તાન પર 11 નવી શરતો લાદી છે. આ સાથે પાકિસ્તાન પર કુલ શરતો વધીને 50 થઈ છે. IMF દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો આ શરતો પૂરી નહીં થાય, તો તેને આગામી હપ્તો આપવામાં આવશે નહીં. IMFએ તેના બેલઆઉટ પેકેજનો આગામી હપ્તો રજૂ કરતાં પહેલાં જ પાકિસ્તાન પર 11 નવી શરતો લાદી છે. આ સાથે પાકિસ્તાન પર કુલ શરતો વધીને 50 થઈ છે. IMF દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો આ શરતો પૂરી નહીં થાય, તો તેને આગામી હપ્તો આપવામાં આવશે નહીં. IMF એ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે ભારત સાથેના તણાવથી યોજનાના નાણાકીય, બાહ્ય અને સુધારા લક્ષ્યો માટે જોખમો વધી શકે છે. પાકિસ્તાન પર લાદવામાં આવેલી નવી શરતોમાં ૧૭,૬૦૦ અબજ રૂપિયાના નવા બજેટને સંસદ દ્વારા મંજૂરી, વીજળી બિલ પર લોન ચુકવણી સરચાર્જમાં વધારો અને ત્રણ વર્ષથી જૂની કારની આયાત પરનો પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે.