ભારત એ ટીમની કમાન આ વખતે એક એવા ભૂતપૂર્વ ખેલાડીના હાથમાં છે, જેણે ઘરેલુ ક્રિકેટમાં પોતાની રમત અને નેતૃત્વથી ઊંડી છાપ છોડી છે. BCCIએ આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા-A ટીમના મુખ્ય કોચ તરીકે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઋષિકેશ કાનિટકરની નિમણૂક કરી છે. ઋષિકેશ કાનિટકરે ભારત માટે બે ટેસ્ટ મેચ રમી છે. જોકે, તેને કોચિંગનો સારો અનુભવ છે. આ પ્રવાસ 30 મેથી શરૂ થવાનો છે.
મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના મહત્વપૂર્ણ પ્રવાસ માટે રવાના થશે, જેમાં ઈન્ડિયા-A ટીમ અને સિનિયર ટીમ બંને હશે. ઈન્ડિયા-A ટીમનો પ્રવાસ 30 મેથી શરૂ થશે. ઈન્ડિયા એ ટીમની કપ્તાની અભિમન્યુ ઈશ્વરનના હાથમાં છે. ઈન્ડિયા-A ટીમ ઇંગ્લેન્ડ લાયન્સ સામે બે ફર્સ્ટ-ક્લાસ મેચ રમશે, જે યુવા ભારતીય ખેલાડીઓ માટે અનુભવ મેળવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરના વાતાવરણનો અનુભવ કરવાની તક હશે.