ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા રેશનકાર્ડ ધારકોને મફત રેશન પૂરું પાડવામાં આવે છે. આ સાથે, તે દરેક ભારતીય નાગરિકની ઓળખ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ, રેશનકાર્ડનું E-KYC કરવું જરૂરી છે. એવામાં હજુ પણ ઘણા એવા નાગરિકો છે કે જેમને નથી કરાવ્યું. ત્યારે E-KYCને લઈને ફેરશોપ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં રાજ્યમાં ઘણા નગરિકોએ E-KYC નથી કરાવ્યું એટલા માટે 1 જૂનથી રાજ્યની તમામ રાશન દુકાનો બંધ કરવામાં આવશે.
રેશનકાર્ડ દુકાનદારોની આજે મહત્વની બેઠક મળી હતી. જેમાં 1 જુનથી રાશન દુકાન ધારકો નહીં કરે અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે.આ બેઠકમાં રેશન દુકાનદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં દુકાનદારોને પડતી વિવિધ મુદાઓને લઈને ચર્ચા થઈ હતી.
બેઠક અંગે ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, EKYC ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર ખોટા આંકડા જાહેર કરી રહી છે. આધાર કાર્ડ અને મતગણતરી પ્રક્રિયા સરકાર જે રીતે કરે એ પ્રમાણે EKYC પણ કરવું જોઈતું હતું. ઘરે ઘરે જઈને રેશન કાર્ડની EKYC પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. સરકાર જ્યાં સુધી E-KYC પૂર્ણ નહિ કરે ત્યાં સુધી વિતરણ નહીં કરાય, હવે સરકાર જ E-KYC પૂર્ણ કરે, પ્રહલાદ મોદીએ કહ્યું. અગાઉ સરકારે E-KYC માટે 5 રૂપિયા આપવાની વાત કરી હતી પણ એ પણ હજુ મળ્યા નથી.