પ્રેમ શબ્દની નોખી અનોખી વાત રજૂ કરતું પુસ્તક “ઢાઈ આખર પ્રેમ કા..નું તારીખ ૨૯ મે ના રોજ લોકાર્પણ થયું. આ પુસ્તક કવયિત્રી લેખિકા ભુમિકા વિરાણી “ભુમિત”ની કલમે લખાયું. પુસ્તકના લોકાર્પણ પ્રસંગે જે કે મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર જિયાબેન શૈલેષ પરમાર ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સુરતના પ્રખ્યાત કવિ સંદીપ પુજારા, ગાયક અને સ્વરકાર નમ્રતાબેન શોધન અને સંગીત રસિક અજયભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યાં હતા.
આ સાથે અમદાવાદના રંગમંચના, ફિલ્મના, સંગીતના ઘણાં કલાકારો, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર ઉપસ્થિત રહ્યાં અને પુસ્તકને વધાવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન રીમા શાહ અને કૌશલ પીઠડીયા એ સાથે મળીને કર્યું હતું. પ્રેમના પુષ્પોની સુંગધથી વાતાવરણ મહેકી ગયું. આ પુસ્તકમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમ સંબંધની વાત કરવામાં આવી છે . પ્રેમ એટલે લગ્ન, મિત્રતા, હક, જવાબદારી, સફળતા, સંતોષ, સ્વપ્રેમ થી લઈને ઈશ્વર સાથેના પ્રેમની વાત કરવામાં આવી છે. આ પુસ્તક ઝેડ કેડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.