અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 269 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કેસની તપાસ હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (ATS) ને સોંપવામાં આવી છે એટલે કે આ કેસની તપાસ હવે એટીએસ કરશે. આ કેસમાં દુર્ઘટના સ્થળેથી એક DVR મળી આવ્યું છે, જેને ATS દ્ધારા કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત ATS ટીમ આ કેસમાં સમાંતર તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમે ક્રેશ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કર્યા છે, જેને તપાસ માટે મોકલવામાં આવશે.