બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટ પર પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. પાંચ વર્ષ બાદ પણ તેનું નિધન ફેન્સ માટે એક રહસ્ય છે. ચાલુ વર્ષે માર્ચમાં, સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્લોઝર રિપોર્ટ જાહેર કર્યો હતો. 22માર્ચ, 2025ના રોજ, સીબીઆઈએ તેના ક્લોઝર રિપોર્ટમાં, સુશાંતસિંહના મૃત્યુનું વાસ્તવિક કારણ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. ઉપરાંત, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પણ અભિનેતાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવી છે.
https://x.com/Har__shhhh/status/1933774159198224784
સુશાંત સિંહ રાજપૂતનો જન્મ બિહારની રાજધાની પટનામાં કૃષ્ણ કુમાર સિંહ અને ઉષા સિંહને ત્યાં થયો હતો. તેમનું પૈતૃક ઘર પટના જિલ્લામાં છે. સુશાંત સિંહ રાજપૂત એક એવું નામ છે જેણે ટીવી તેમજ ફિલ્મોમાં પોતાના શાનદાર અને શક્તિશાળી અભિનયથી છાપ છોડી છે. શાંત ચહેરો, સૌમ્ય સ્મિત અને મજબૂત અભિનય કૌશલ્ય સાથે, ‘બિહાર કે લાલ’ સુશાંત સિંહે પોતાના શાનદાર અભિનયથી દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. અભિનેતાએ પોતાના કરીયરની શરૂઆત ટીવી સીરીયલથી કરી હતી, તેને ખાસ ફૈમ પવિત્ર રિશ્તાથી મળ્યું હતું.
https://x.com/GauravHR_/status/1933761970341359859
આ સીરીયલથી તે ટીવીજગતમાં ફેમસ થયો અને ત્યારબાદ કાઈપો છે ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું. ત્યારબાદ તેણે ઘણી હિટ ફિલ્મો આપી જેમાં એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરીનો પણ સમાવેશ થાય છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આજે આપણી વચ્ચે ભલે નથી, પરંતુ તેનું સ્મિત, તેની આંખો અને વ્યક્તિત્વ હંમેશા જીવંત રહેશે.