By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ટેકનોલોજી > વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ
ટેકનોલોજી

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: June 14, 2025 9:31 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 4 Min Read
Share
SHARE

ગુરુવારે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ આગ લાગીને વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 મુસાફરો પૈકી 241ના મોત થયા હતા. જ્યારે પ્લેન જે સ્થળે ક્રેશ થયું હતું ત્યાં પણ મોટી જાનહાનિ થવા પામી હતી. આ અકસ્માતનો ભોગ બનેલા લોકોના મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખાણ કરવી અશક્ય છે. તે સ્થિતિમાં આ મૃતદેહોની ઓળખાણ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.શું છે DNA મેચિંગ ટેસ્ટ ? કેવી રીતે થાય છે DNA મેચિંગ ટેસ્ટ દ્વારા સ્વજનોની ઓળખ ? કયા પ્રકારના સેમ્પલ લેવામાં આવે છે ? સેમ્પલનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? ચાલો સમજીએ.
DNA પરીક્ષણ માટે પહેલા નમૂના લેવામાં આવે છે. લોહી, વાળ, નખ, ત્વચા, ઝીભ, દાંતની અંદરની કોશિકા લેવામાં આવે છે.

DNA ટેસ્ટ શું છે ?
ડીએનએ એટલે કે ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ, જે એક વૈજ્ઞાનિક પરીક્ષણ છે. આ પ્રકારના પરીક્ષણ આપણા જનીનો અથવા પૂર્વજો વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા શરીરમાં લાખો કોષ હોય છે. લાલ રક્ત વાહિનીઓ સિવાય, અન્ય તમામ કોષમાં પણ એક આનુવંશિક કોડિંગ હોય છે. આ આનુવંશિક કોડિંગ એ જ ડીએનએ છે. સાદી ભાષામાં કહીએ તો, ડીએનએ સીડીની જેમ એક તરફ વળેલું હોય છે.

મૃતદેહોમાંથી નમૂના કેવી રીતે લેવામાં આવે છે?

ખરાબ રીતે બળી ગયેલા શરીરમાંથી DNA લેવા માટે માટે હ્યુમરસ અથવા પાંસળી જેવા હાડકાંના નમૂના લેવામાં આવે છે. આ ઉપરાંત દાંત અથવા બાકીના પેશીઓ પણ ખૂબ ઉપયોગી છે. હાડકાં અને દાંત વધુ મહત્વપૂર્ણ છે કારણ કે ઊંચા તાપમાને પણ તેમાં DNA સચવાય છે.

પરિવારજનોના સેમ્પલ

ત્યારબાદ સંબંધીઓ પાસેથી લોહી, લાળ અથવા ગાલના કોષો (બકલ સ્વેબ) લેવામાં આવે છે. આ નમૂનાઓનો ઉપયોગ મૃતકના DNA સાથે મેચ કરવા માટે કરવામાં આવે છે.
સેમ્પલની સફાઇ અને તૈયારી: બળી ગયેલા શરીરમાંથી DNA લેવું ​અત્યંત મુશ્કેલ છે કારણ કે હાઈ ટેમ્પરેચર અને કેમિકલ DNAનો નાશ કરી શકે છે. આ સ્થિતિમાં કચરો અથવા સૂક્ષ્મજીવો જેવા બાહ્ય દૂષણોને દૂર કરવા માટે નમૂનાને પહેલા સાફ કરવામાં આવે છે. આ માટે નમૂનાને નળના પાણી અને 100% ઇથેનોલથી ધોવામાં આવે છે. હાડકાં અને દાંતને પીસીને પાવડર બનાવવા માટે જંતુરહિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
હાડકાંમાંથી DNA કેવી રીતે કાઢવામાં આવે છે?

DNA લેવા માટે ઓર્ગેનિક એકસટ્રેકશન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ હેઠળ નમૂનાને રાસાયણિક લિક્વિડમાં મેળવીને DNAને અલગ કરવામાં આવે છે. અમદાવાદ અકસ્માતમાં 1.25 લાખ લિટર બળતણના આગથી મૃતદેહો પ્રભાવિત થયા હતા. આ સ્થિતિમાં DNAની ગુણવત્તા પર અસર થઈ શકે છે. જોકે બળી ગયેલા અવશેષોમાંથી DNA લેવામાં નવી ટેકનિક સફળ રહી છે.

પરીક્ષણ માટે કેટલા DNAની જરૂર છે?

લેવામાં આવેલા DNAની માત્રા અને ગુણવત્તા રીઅલ-ટાઇમ પીસીઆર (પોલિમરેઝ ચેઇન રિએક્શન) દ્વારા તપાસવામાં આવે છે. આવી સ્થિતિમાં સૌ પ્રથમ ખાતરી કરવામાં આવે છે કે DNA પરીક્ષણ માટે પૂરતું છે કે નહીં.

DNA પ્રોફાઇલિંગ કેવી રીતે કરવામાં આવે છે?

DNA પ્રોફાઇલિંગમાં શોર્ટ ટેન્ડમ રિપીટ્સ (STR) ની તપાસ કરવામાં આવે છે. આ DNAના એવા ભાગો છે જે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. આ પછી એક DNA પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદ અકસ્માતમાં લગભગ 1000 DNA પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. જેમાં મૃતકો અને તેમના સંબંધીઓના નમૂનાઓનું મેચિંગ શામેલ છે.

You Might Also Like

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

TAGGED: #ahmedabadplnaecrash, #dna, #dnatest, #planecrash, Health
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા
આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી
ઇન્ડિયા ગુજરાત

More Popular from Vibes Of Positivity

ગુજરાત

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ટેકનોલોજી

11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે ‘મિશન Axiom-4’

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર AXIOM-4 મિશનનું લોન્ચિંગ એક દિવસ માટે ટાળી દેવામાં આવ્યું છે. લોન્ચિંગ મોકૂફ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?