અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયુ હતું, જેમાં વિમાનમાં સવાર 241માંથી 241 મુસાફરોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ ભારત સહિત દુનિયાભરના મોટા દેશોએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું હતું.દુર્ઘટના બાદ પ્લેન બનાવનારી બોઈંગ કંપની સામે સવાલ ઉઠ્યા હતા. ત્યારે બ્રિટિશ કંપની બોઇંગ 787-8 ડ્રીમલાઈનર ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે ચર્ચા ભારતની નહીં પણ બ્રિટનની છે. અમદાવાદમાં બોઈંગનું વિમાન 787-8 ડ્રીમલાઈનર ક્રેશ થયું હતું. હવે ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી સર્જાઇ છે. લંડનના હીથ્રો એરપોર્ટથી ઉડાન ભર્યાના કલાકો પછી એરપોર્ટ પર પાછું ફર્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.