ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કેટલા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો તે અંગેની માહિતી હવામાન વિભાગે આપી છે.
https://x.com/WesternIndiaWX/status/1934598021523841381
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 160થી વધુ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતાં કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઈ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.
વનગરના પાલીતાણામાં 9.72 ઇંચ, સિહોરમાં 9.61 ઇંચ, ભાવનગરના મહુવામાં 8.54 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 8.27 ઇંચ, અમરેલીના રાજુલામાં 7.2 ઇંચ અને અમેરલીમાં 5.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ વિસ્તારોમાં હવામાનનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.