ધ્રાંગધ્રાના શિલ્પકારના કામનું લિમ્કા બુક ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. જેઓ મગર, કાચબા, બતક અને કમળ જેવી અલગ અલગ કૃતિઓ અલગ અલગ વજનની બનાવી, જે પાણીમાં તરે છે. ધ્રાંગધ્રાના શિલ્પકારો દ્વારા રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાં મંદિરો બનાવે છે.
એમણે સેન્ડ સ્ટોન નામના પથ્થર તેમજ આરસમાંથી વિવિધ કૃતિઓ બનાવી છે.વધુમાં એમણે 8 કિલોથી લઈને 35 કિલો સુધીના વજનની વિવિધ કૃતિઓ બનાવી છે. વિજયભાઈ છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી પથ્થર ઘડવાનું કામ કરે છે. આવી વિવિધ કૃતિ કરવા બદલ તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેમાં અયોધ્યામાં બનેલા રામમંદિરમાં પણ અહીંયાના શિલ્પી કલાકારો કામ કરવા ગયા હતા.