આપણામાંથી ઘણા લોકો ખાંડમાંથી બનેલી વસ્તુઓ જેમ કે ચા, કોફી, મીઠાઈ વગેરે ખાવાનું પસંદ કરે છે, પરંતુ આયુર્વેદમાં ખાંડને સફેદ ઝેરનું નામ આપવામાં આવ્યું છે કારણ કે તેના સેવનથી ઘણી સમસ્યાઓનો ખતરો રહે છે. ખાંડ એ ઉચ્ચ કેલરીવાળો ખોરાક છે. ખાંડનું સેવન શરીર માટે હાનિકારક છે અને વધુ પડતી ખાંડ સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બીપી અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ પણ કરી શકે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે 14 દિવસ સુધી ખાંડ (Sugar) ખાવાનું બંધ કરશો તો શું થશે? સતત બે અઠવાડિયા (Week) સુધી ખાંડ ખાવાનું છોડી દેવાથી તમારું વજન ઝડપથી ઘટે છે. આ સિવાય બીજા પણ ઘણા ફાયદા થઈ શકે છે.
વ્યક્તિની સ્કિન ચમકે છે
એક્સ્ટ્રા ખાંડ છોડવાના 14 દિવસ પછી તમે તમારી સ્કિન પર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે મસ્ત ગ્લો કરે છે. આનાથી તમારી ત્વચા સ્ટ્રોંગ બને છે અને સાથે મસ્ત શાઇન પણ કરે છે.
બ્લડ શુગર લેવલ કંટ્રોલ રહેશે
14 દિવસ સુધી શુગર નહી ખાઓ તો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે. ખરેખર, ખાંડ સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં આહારમાંથી ખાંડને દૂર કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. પરંતુ જો તમે ફરીથી ખાંડ લેવાનું શરૂ કરો છો, તો તે બ્લડ સુગર લેવલમાં અચાનક સ્પાઇકનું કારણ બની શકે છે.
વજન ઘટાડવામાં થશે મદદ
ખાંડ એ ઉચ્ચ કેલરીવાળો ખોરાક છે. આવી સ્થિતિમાં વધુ પડતી ખાંડનું સેવન તમને સ્થૂળતાનો શિકાર બનાવી શકે છે. જો કે, જો તમે ખાંડનું સેવન બંધ કરો છો, તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
ટાઇપ 2 ડાયાબિટીસમાં ફાયદાકારક
ખાંડ છોડવાથી શરીરની પ્રાકૃતિક ડિટોક્સ સિસ્ટમને એનું કામ કરવાની જગ્યા મળે છે. આમ, વાત કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓએ ખાંડનું સેવન બને એમ ટાળવા જોઇએ.