-
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સીબીએસઈએ ધો.10-12ના અભ્યાસક્રમમાં 15 ટકાની કપાત કરી છે. આ સાથે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી પ્રક્રિયા મુજબ હવે ઇન્ટરનલ એસાઈન્મેન્ટ માટે 40 ટકા માર્ક્સ આપવામાં આવશે, જ્યારે ફાઇનલ પરીક્ષા માટે 60 ટકા માર્ક્સ અપાશે.
વર્ષ 2025માં યોજાનારી સીબીએસઈ પરીક્ષાઓ માટેની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ ધોરણ-10 અને ધોરણ-12માં ઇન્ટરનલ એસાઇનમેન્ટ માટે 40 ટકા માર્ક્સ અપાશે, જ્યારે બાકીના 60 ટકા માર્ક્સ ફાઇનલ પરીક્ષાના આધારે અપાશે.
બીજીબાજુ ટૂંક સમયમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ 2025 જાહેર કરશે. એક વાર જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા ટાઈમ ટેબલ (CBSE)ની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbse.nic.in પર જઈને ચેક કરી શકશે. અત્યાર સુધી બોર્ડે ડેટશીટની જાહેરાતની તારીખ અને સમય શેર કર્યો નથી.