તમે કે તમારા પરિવારના કોઈ સભ્યની તબિયત બગડે તો તમે ડોક્ટર પાસે જતા હશો કે પછી દવાની દુકાને. જ્યાં તબિયત સારી થાય એ માટે તમે ગોળીઓ, કેપ્સ્યુલ્સ, ઇન્જેક્શન લો છો. ઘણા લોકોને કેપ્સ્યુલ્સને જોતા એવું લાગે છે કે તેનું કવર પ્લાસ્ટિકનું બનેલું છે. કેટલાક એવું લાગે છે કે તેમના કવર નરમ રબરના બનેલા હોય છે. શું આ પ્રશ્ન ક્યારેય તમારા મનમાં આવ્યો છે કે કેપ્સ્યુલ કવર શેના બનેલા છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આ આવરણ શરીરમાં પ્રવેશે છે ત્યારે તેનું શું થાય છે? જો આ પ્રશ્નો તમારા મનમાં આવ્યા હોય તો અમે તમને તેના જવાબો આપી રહ્યા છીએ.
દવા તરીકે ઉપયોગમાં લેવાતા કેપ્સ્યુલનું કવર બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકથી બનેલું નથી. આ કવર બે પ્રકારના હોય છે. પ્રથમ સખત શેલ અને બીજું નરમ શેલ. બંને પ્રકારના કેપ્સ્યુલ કવર માત્ર બાયોડિગ્રેડેબલ સામગ્રીમાંથી જ બનાવવામાં આવે છે. બંને પ્રકારના કેપ્સ્યુલ કવર પ્રાણી અથવા વનસ્પતિ પ્રોટીન જેવા પ્રવાહી દ્રાવણમાંથી બનાવવામાં આવે છે. કેપ્સ્યુલ્સની સામગ્રી કે જેના કવર પ્રાણી પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે તેને જિલેટીન કહેવામાં આવે છે. તે ચિકન, માછલી, ડુક્કર અને ગાય અને તેની પ્રજાતિના અન્ય પ્રાણીઓના હાડકાં અને ચામડીને ઉકાળીને કાઢવામાં આવે છે.
અમુક કેપ્સૂલ્સના કવર છોડમાંથી મળતા પ્રોટીનથી બનાવામાં આવે છે. આ પ્રોટીન છોડની છાલથી કાઢવામાં આવે છે. કેપ્સૂલ કવર બનાવવા માટે આ પ્રોટીનને સેલ્યૂલોઝ પ્રજાતિના ઝાડનો ઉપયોગ થાય છે. તો વળી જિલેટિન કોલેજનથી બને છે. આ રેશેદાર પદાર્થ જેવા જાનવરોની હાડકા, ઉપાસ્થિ અને કંડરામાંથી મળે છે. જિલેટિનનો ઉપયોગ જેલી બનાવવામાં પણ થાય છે.કવરમાંથી મળતું પ્રોટીન આપણા શરીરને પોષણ આપે છે. તો વળી વધારાનું પ્રોટીન શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેનાથી શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું.
આજકાલ કેપ્સૂલ બનાવામાં જિલેટિન અને સેલ્યૂલોજના કવરનો ઉપયોગ થાય છે. આ કવરમાં દવા ભરેલી હોય છે. શું આપે ક્યારેય વિચાર્યું છે કે, કેપ્સૂલના કવર બે અલગ રંગોના શા માટે હોય છે? તેનું કારણ કેપ્સૂલ્સને સુંદર બનાવવા માટે નથી. તેમાં કેપ્સૂલનો એક ભાગ કેપ અને બીજો ભાગ કંટેનરની માફક કામ કરે છે. કેપ્સૂલના કંટેનરવાળા ભાગમાં દવા ભરેલી હોય છે. તો વળી કેપવાળા ભાગમાં કેપ્સૂલને બંધ કરવામાં આવે છે. કેપ અને કંટેનરનો રંગ અલગ એટલા માટે રાખવામા આવે છે, જેથી કેપ્સૂલ બનાવતી વખતે કર્મચારીઓથી ભૂલ ન થાય.