આવકવેરા વિભાગે કરદાતાઓને ચેતવણી આપતા એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે, આવકવેરા રિટર્નમાં વિદેશમાં આવેલી સંપત્તિ અથવા વિદેશમાં કમાયેલી આવકનો ખુલાસો કરદાતાઓ કરવાનો રહેશે. જો કોઈ કરદાતા આઇટીઆરમાં વિદેશમાં સ્થિત સંપત્તિ અથવા વિદેશોમાં પ્રાપ્ત કરેલી આવકોનો ખુલાસો નથી કરતા તો કાળા નાણાં વિરોધી કાયદા હેઠળ ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.
એડવાઇઝરી સ્પષ્ટ કરે છે કે પાછલા વર્ષમાં ભારતના કર નિવાસી દ્વારા રાખવામાં આવેલી વિદેશી સંપત્તિઓમાં બેંક ખાતા, રોકડ મૂલ્યના વીમા કરાર અથવા વાર્ષિકી કરાર, કોઈપણ એન્ટિટી અથવા વ્યવસાયમાં નાણાકીય રસ, સ્થાવર મિલકત, કસ્ટોડિયલ એકાઉન્ટ, ઇક્વિટી અને ડેટ હિત, ટ્રસ્ટ, વગેરે. જેમાં વ્યક્તિ જે ટ્રસ્ટી છે, પતાવટ કરનારનો લાભાર્થી, હસ્તાક્ષર કરનાર સત્તાવાળા ખાતાઓ, વિદેશમાં રાખેલી કોઈપણ મૂડી સંપત્તિ વગેરેનો સમાવેશ થાય છે.એડવાઇઝરી અનુસાર આઇટીઆરમાં વિદેશી સંપત્તિ કે આવકનો ખુલાસો ન કરવા પર બ્લેક મની એન્ડ ઇમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, ૨૦૧૫ હેઠળ 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.