દિલ્હીમાં વાયુ પ્રદુષણને લઇને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સ્થિતિ હાલમાં હળવી બને તેવા કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. હવે દિલ્હી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગેરકાયદે ફેક્ટરીઓ અને એકમોને લઇને ડ્રોન મારફતે સર્વે કરવા ઇચ્છુક છે. ઔદ્યોગિક પ્રદુષણ ફેલાવનાર એકમોની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક એકમોને બંધ કરવામાં આવી શકે છે. અત્રે નોંધનીય છે કે દિલ્હી સરકારે કઠોર નિયમોની સાથે ગ્રેપ-4ને લાગુ કરી દીધા છે. ગ્રેપ-4 નિયમો દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામની સાથે મેરઠમાં લાગુ થાય છે. આ તમામ જગ્યાએ પણ સ્કુલો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ઓનલાઇન ક્લાસ શરૂ છે. સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યુ છે.જો કે એક્યુઆઇ મીટર 500 કરતા નીચે આવતા રાહત થઇ છે. શ્વાસ લેવુ પણ હવે જોખમી બની રહ્યુ છે .દિલ્હીમાં ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. દિલ્હીમાં લોકો શ્વાસની તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદ કરી રહ્યા છે