મેગા સિટી અમદાવાદ સતત ધમધમતુ શહેર છે. ત્યારે અહી એક પણ રસ્તો બંધ થાય તો હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાય છે. ત્યારે 15 મહિનાથી બંધ રહેલો અમદાવાદનો સૌથી વ્યસ્ત શાસ્ત્રી બ્રિજની એક સાઈડ હજી ગત મહિને જ ખોલી દેવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને રાહત થઈ હતીપરંતું હવે શાસ્ત્રી બ્રિજની બીજી સાઈડ બંધ કરી દેવામાં આવી છે. 31 ડિસેમ્બર સુધી આ બ્રિજ સમારકામ માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ બ્રિજ પર સમારકામને લઈ ૧૫ મહિના સુધી બંધ કરાયો હતો જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. હજુ ૧૫ ઓક્ટોબરે જ આ બ્રિજનું એકબાજુનું સમારકામ પૂર્ણ થયું હતું. હવે ફરી બીજી બાજુના પટ્ટા પર કામ શરૂ કરી દેવાતા ફરી ટ્રાફિકજામની સમસ્યા જોવા મળશે.