ભારતના મહાન અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ડે-નાઈટ ટેસ્ટ માટે રોહિત શર્મા માટે નવો બેટિંગ ઓર્ડર સૂચવ્યો છે. પૂજારાનું કહેવું છે કે, રોહિતને બેટિંગમાં ઓપનિંગ કરવા ન મોકલવો જોઈએ. મળતી માહિતી મુજબ, રોહિત શર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે અને હવે તે એડિલેડ ટેસ્ટ રમવા માટે પૂરી રીતે તૈયાર છે.
પહેલી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ઓપનિંગ કરી હતી અને બંને ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ડે-નાઈટ ટેસ્ટ માટે રોહિત શર્મા માટે નવો બેટિંગ ઓર્ડર સૂચવ્યો છે. પૂજારાનું કહેવું છે કે, રોહિતને બેટિંગમાં ઓપનિંગ કરવા ન મોકલવો જોઈએ. તેણે કહ્યું કે, યશસ્વી જયસ્વાલની સાથે KL રાહુલને બીજી ટેસ્ટમાં પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે મોકલવો જોઈએ.