By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: અમદાવાદમાં BAPS ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’, આ રોડ રહેશે બંધ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > અમદાવાદમાં BAPS ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’, આ રોડ રહેશે બંધ
ગુજરાતધર્મ-સંસ્કૃતિ

અમદાવાદમાં BAPS ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’, આ રોડ રહેશે બંધ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: December 7, 2024 10:08 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે શનિવારે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરાશે. આ મહોત્સવની તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ ભવ્ય ઉજવણી દરમિયાન શહેરમાં વાહનોને અવરજવરમાં સરળતા રહે તે માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કયા રોડ બંધ રહેશે અને ક્યા વૈકલ્પિક રસ્તા છે તેને લઈને જાણકારી આપી છે.

કાર્યક્રમના આયોજનના પગલે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સાબરમતી જનપથ ટીથી મોટેરા ચાર રસ્તા સુધીનો રસ્તો સવારે 9 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.એસપી રિંગ રોડના નાના ચિલોડાથી અપોલો સર્કલ બાજુના રોડ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં એક લાખથી વધુ હરિભક્તો આવવાના હોવાથી સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું પ્રમાણે, સાબરતમી જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસિડેન્સી, મોટેરા સુધીનો રોડ અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જ્યારે નાના ચિલોડાથી અપોલો સર્કલ સુધીનો માર્ગ ભારે વાહનોની અવરજવર માટે બંધ રહેશે.વૈકલ્પિક રૂટમાં તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત, સાબરમતી જનપથ, પાવર ચાર રસ્તા, પ્રબોધ રાવળ સર્કલ સુધીનો માર્ગ પરિવહન માટે શરૂ રહેશે. જ્યારે ઓઢવ તરફથી દહેગામ રિંગ રોડથી આવતા ભારે વાહનો નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી મોટા ચિલોડા તરફના રસ્તે જઈ શકશે. આ સાથે કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ કોટેશ્વર રોડ, અપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

You Might Also Like

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

TAGGED: #ahmedabad, #baps, #bapsmahotsav, #motera, #narendramodistadium
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું
અજબ-ગજબ ટેકનોલોજી
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?