બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત અચાનક લથડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ફિલ્મ નિર્માતાની તબિયત લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સુભાષ ઘાઈને શ્વાસ લેવામાં તકલીફ, નબળાઈ, વારંવાર ચક્કર આવવા, યાદશક્તિમાં ઘટાડો અને બોલવામાં તકલીફ થવાને કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
જોકે, ઘાઈના પ્રતિનિધિએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માતાને નિયમિત તપાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ફિલ્મ નિર્માતાના પ્રતિનિધિ દ્વારા નિવેદન બહાર પાડી જણાવ્યું કે, સુભાષ ઘાઈની તબિયત હાલ સુધારા પર છે. તેમને નિયમિત ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સુભાષ ઘાઈએ રામ લખન, ખલનાયક, પરદેશ, તાલ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. ગત મહિને, 79 વર્ષીય દિગ્દર્શક સુભાષ ઘાઈએ પત્રકાર અને લેખક સુવીન સિન્હા દ્વારા સહ-લેખિત ‘કર્મ ચાઈલ્ડ’ નામની તેમની આત્મકથા લોન્ચ કરી હતી.