અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ્ટર દ્વારા દર્શનની યોજના પણ શરૂ કરવા જઈ રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરી શકે છે.હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના રામ મંદિરના ઍરિયલ વ્યૂના દર્શન માટે અત્યાર સુધી નક્કી કરાયેલું ભાડું પ્રતિ વ્યક્તિ 4130 રૂપિયા છે. એટલે કે જો કોઈ ભક્ત આ મંદિરના ઍરિયલ વ્યૂના દર્શન કરવા ઈચ્છે છે તો તે 4130 રૂપિયા ચૂકવી દર્શન કરી શકશે. ટૂંક સમયમાં જ આ હેલિકોપ્ટર દર્શન સેવા શરૂ કરવામાં આવી શકે છે. જેને લઈ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, અયોધ્યામાં બની રહેલું રામ મંદિરને હજી સંપૂર્ણ રીતે તૈયાર થતા સપ્ટેમ્બર 2025 સુધીનો સમય લાગશે.