ભારત ડિજિટલ ઈન્ડિયા બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે તેમ સાયબર છેતરપિંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમને કારણે લોકોને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. સાયબર ગુનેગારો લોકોને અલગ-અલગ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, KYC (Know Your Customer) અપડેટ કરવાના નામે ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
KYC એ બેંકો અને અન્ય સંસ્થાઓ માટે તેમના ગ્રાહકોની ઓળખ ચકાસવાની પ્રક્રિયા છે. તેની ખામીઓનો લાભ લઈને છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરતા હોય છે.સાયબર છેતરપિંડી કરનારાઓ કોઈની અંગત માહિતી અથવા નકલી દસ્તાવેજોના આધારે એકાઉન્ટ બનાવી રહ્યા છે, લોન માટે અરજી કરી રહ્યા છે અથવા કોઈપણ ગેરકાયદેસર વ્યવહાર કરી રહ્યા છે. આ સિવાય તેઓ કોઈના ફોટા સાથે છેડછાડ કરીને અથવા કોઈની અંગત માહિતી એકઠી કરીને તેનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરીને નકલી દસ્તાવેજો બનાવે છે. શું થાય છે કે લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેમના નામે કે તેમના ખાતા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેના કારણે તેમને ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે.