બાંગ્લાદેશમાં સત્તા પલ્ટો થયા બાદ હિન્દુઓ પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યાં અવારનવાર હિન્દુઓ અને મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સરકાર સહિત ભારતીયો પણ ચિંતિત છે. ત્યારે મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે પણ હવે ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે.
https://x.com/ANI/status/1870148863119839723
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ અંગે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. આ માટે તેમણે મુંબઈમાં એક ડિટેન્શન સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે, જેમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને રાજ્યમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓને રખાશે. સાથે જ તેમણે પુણેમાં એક જેલ બનાવવાની પણ જાહેરાત કરી હતી, આ જેલ બે માળની હશે.