હાલમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સાહેબ ડો.સૈયદના મુફદ્દલ સાહેબે તેમની એક પહેલના ભાગરૂપે પોતાના સમાજને બાળકોને 15 વર્ષથી નાની વયના હોય ત્યાં સુધી સ્માર્ટ ફોન ન આપવા ખાસ અપીલ કરી છે. દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુએ પોતાના સમાજના લોકોને તેમના બાળકોને મોબાઈલનો ઉપયોગ ન કરાવવા માટે ખાસ સલાહ આપી હતી. લોકમાન્યતા અનુસાર ધર્મગુરુઓ માત્ર ધાર્મિક ઉપદેશ આપતા હોય છે ત્યારે ધર્મગુરુ તરીકે ડો.સૈયદના સાહેબે કરેલી આ પહેલ એક ખુબ જ અનુકરણીય બની રહી છે. તેમણે દાહોદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં બાળકોને મોબાઈલથી કુટેવથી બચાવવા માટે દાઉદી વ્હોરા સમાજે અનોખી પહેલ કરી છે. તેના ભાગરૂપે સમાજના 15 વર્ષથી નીચેના તમામ બાળકો માટે મોબાઈલ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.