ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. 26મી ડિસેમ્બરથી શરુ થયેલી બોક્સિંગ ડે ટેસ્ટનો આજે બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી હતી.
https://x.com/BCCI/status/1433369640831492097
કારણ કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેમની તબિયત અચાનક બગડતાં જ તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આથી શ્રદ્ધાંજલિ રૂપે અને તેમના સન્માનમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી છે.