પંજાબના ભટિંડામાં ગત રોજ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર આઠ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે બસમાં સવાર અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભટિંડાના કોટશમીર રોડ પર બસ પુલ પરથી પસાર થતાં સમયે રેલીંગ તોડીને નીચે પડી હતી. બસ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ બનાવની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફ સહિત રાહત ટીમ ઘટના સ્થળે પહોચી બચાવ કામગીરી શરૂ કરી હતી. બીજીબાજુ આ દુર્ઘટના પછી વડાપ્રધાન કાર્યાલયે સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.