By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Vikram Sarabhai Death Anniversary: જાણો અંતરિક્ષ ક્ષેત્રે ભારતને ઊંચાઈએ લઈ જનાર ડૉ. વિક્રમ સારાભાઈ વિશે
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > બાયોગ્રાફી > Vikram Sarabhai Death Anniversary: જાણો અંતરિક્ષ ક્ષેત્રે ભારતને ઊંચાઈએ લઈ જનાર ડૉ. વિક્રમ સારાભાઈ વિશે
બાયોગ્રાફી

Vikram Sarabhai Death Anniversary: જાણો અંતરિક્ષ ક્ષેત્રે ભારતને ઊંચાઈએ લઈ જનાર ડૉ. વિક્રમ સારાભાઈ વિશે

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: December 30, 2024 5:43 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 3 Min Read
Share
SHARE

19 એપ્રિલ 1975નો દિવસ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે ઈસરોએ પોતાનો પહેલો ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આ સિદ્ધિ હાંસલ કરવામાં મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની ભૂમિકા અમૂલ્ય હતી. ડૉ. વિક્રમ સારાભાઈ. ભારતના આ મહાન વિજ્ઞાનીનું નામ ભારતીયો માટે અજાણ્યું નથી. આજે, એમની પુણ્યતિથિ છે. દેશના દિગ્ગજ નેતાઓ તેમજ વૈજ્ઞાનિકોએ આજના દિવસે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે ચાલો યાદ કરીએ એ મહાન હસ્તીને જેમણે પોતાની પ્રતિભાથી ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું કર્યું.

અમદાવાદમાં જૈન પરિવારમાં થયો જન્મ

આજે ભારત (India)ની વૈજ્ઞાનિક પ્રગતિની વાત કરીએ ત્યારે ઈસરો (ISRO)નો ઉલ્લેખ અનિવાર્ય બને છે. છેલ્લા ઘણા દાયકાઓથી ઈસરોએ એવી સિદ્ધિઓ મેળવી છે જે દુનિયાના કોઈ દેશે નથી મેળવી. પરંતુ ISRO જેવી સંસ્થાની કલ્પના તેના સ્થાપક અને ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ (Vikram Sarabhai)એ એની સ્થાપનાના ઘણાં વર્ષો પહેલા કરી લીધી હતી. વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં એક જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ મોટા ઉદ્યોગપતિ હતા અને ભારતની આઝાદીના ચળવળમાં તેમણે હિસ્સો લીધો હતો. વિક્રમ સારાભાઈએ પ્રારંભિક અભ્યાસ ભારતમાં કર્યો હતો. બાદમાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોન્સ કોલેજમાં અભ્યાસ કરવા ગયા, જ્યાંથી તેમણે ડોક્ટરેટની પદવી મેળવી હતી. અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને મજબૂત બનાવવા માટે તેમણે ઘણા વર્ષો પહેલા પ્રયાસો શરૂ કર્યા હતા અને તેમના નેતૃત્વમાં દેશનું પ્રથમ રોકેટ નવેમ્બર 1963માં કેરળના થુમ્બા ગામમાંથી છોડવામાં આવ્યું હતું. આ પ્રયાસોને કારણે તેમને ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતામહ માનવામાં આવે છે.

 

IIM અમદાવાદની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા

ડૉ. વિક્રમ સારાભાઈએ ઈસરોથી લઈને આઈઆઈએમ, અમદાવાદની સ્થાપના સુધી મહત્વની ભૂમિકા ભજવી હતી.વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના અપ્રતિમ પ્રદાન બદલ તેમને 1966માં પદ્મ ભૂષણ અને 1972માં પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યા હતા.નવેમ્બર 1947માં અમેરિકાથી ભારત પાછા ફર્યા બાદ વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ની સ્થાપના કરી હતી. આ લેબોરેટરી શરૂઆતમાં પીઆરએલ સંશોધન પર જ કામ કરતી હતી, પણ પાછળથી વિક્રમ સારાભાઈના પ્રયત્નોને કારણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નો પાયો નાખવામાં આવ્યો હતો. તેમણે ભારતનો પહેલો ઉપગ્રહ બનાવવાની કોશિશ ખૂબ પહેલા જ શરૂ કરી દીધી હતી. કોસ્મિક કિરણો અને ઉપરના વાતાવરણ પરનું તેમનું સંશોધન આજે પણ એક સીમાચિહ્નરૂપ છે.આપને જણાવી દઈએ કે,સારાભાઈના લગ્ન ક્લાસિકલ ડાન્સર મૃણાલિની સ્વામીનાથન સાથે થયા હતા.તેમના દીકરી મલ્લિકા સારાભાઈ પણ ક્લાસિકલ ડાન્સર અને અભિનેત્રી છે. તેમના પુત્ર કાર્તિકેય સારાભાઈ પર્યાવરણીય શિક્ષક છે. સારાભાઈના પત્ની અને પુત્રીને પદ્મભૂષણ તથા પુત્રને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 1971માં આ મહાન વૈજ્ઞાનિકનું માત્ર 52 વર્ષની વયે અવસાન થયું હતું.

You Might Also Like

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે ‘મિશન Axiom-4’

Death Anniversary Ramoji Rao: જાણો કોણ હતા ભારતમાં વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી સ્થાપનાર રામોજી રાવ

જાણો ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર વિષે

TAGGED: #biography, #isro, #sarabhai, #scientist, #vikrambhaisarabhai
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું
અજબ-ગજબ ટેકનોલોજી
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
અજબ-ગજબટેકનોલોજી

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું

અત્યાર સુધી તમે પેટ્રોલ, ડીઝલ અથવા લિથિયમ બેટરીથી ચાલતા સ્કૂટર વિશે સાંભળ્યું હશે, પરંતુ હવે ટૂંક…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

હાલમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ ગરમીના મોજાની અસર પણ જોવા મળી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?