મેલબોર્ન ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતની કારમી હાર થઇ છે. આ ટેસ્ટ મેચમાં થર્ડ એમ્પાયરના નિર્ણયના કારણે વિવાદ ઉભો થઇ ગયો છે. મહાન ખેલાડી સુનિલ ગાવસ્કરે આ નિર્ણયની સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલની લડાયક ઇનિંગ્સનો ત્રીજા અમ્પાયરના નિર્ણયથી અંત આવ્યો હતો. બોક્સિંગ ડે ટેસ્ટના છેલ્લા દિવસે આ યુવા ખેલાડીએ એવી ઇનિંગ રમી કે જેણે ભારતને મેચમાં જાળવી રાખ્યું. ફિલ્ડ અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યા બાદ બાંગ્લાદેશના અમ્પાયર શર્ફુદ્દૌલાએ સ્નીકોમીટરની અવગણના કરીને તેને આઉટ જાહેર કર્યો હતો.
https://x.com/myselfsachin7/status/1859828728840507868
આ નિર્ણય બાદ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર સંપૂર્ણપણે ગુસ્સે થઈ ગયા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો ટેક્નોલોજી પર ભરોસો નથી તો આપણે તેનો ઉપયોગ કેમ કરી રહ્યા છીએ.