ભારત સરકાર દ્વારા દેશના ચાર ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે.