અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે, હવે રામ કથા મ્યૂઝિયમ નિર્માણની તૈયારીઓ થઈ રહી છે. અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામ મંદિર (Ram Mandir) બાદ વધુ એક આકર્ષણ ઉમેરાવા જઇ રહ્યું છે. અયોધ્યામાં 40,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું રામ કથા મ્યુઝિયમ (Ram Katha Museum) બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં મંદિરના પ્રાચીન મૂળના પુરાવા, પુરાતત્ત્વીય ખોદકામમાં મળેલા અવશેષો પણ પ્રદર્શિત કરાશે.મ કથાનો પ્રચાર દરેક સુધી પહોંચાડવા માટે એક અત્યાધુનિક, વિશાળ મ્યૂઝિયમ બનાવવામાં આવશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મ્યુઝિયમ 2 વર્ષમાં તૈયાર થઈ જશે. અને તે કુલ 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું હશે.રિપોર્ટ પ્રમાણે આ મ્યુઝિયમ દ્વારા બતાવવામાં આવશે કે, પુરાતત્વીય ખોદકામ દરમિયાન ટીમને કઈ વસ્તુઓ મળી આવી જેના આધારે એવું કહેવામાં આવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામનું મંદિર હતું. હાલમાં આ પ્રોજેક્ટ તેના પ્રારંભિક તબક્કામાં છે, તેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ આ ભવ્ય મ્યુઝિયમ માટે ભંડોળ પૂરું પાડવામાં આવશે, તેમજ આ મ્યુઝિયમની બિલ્ડિંગ રાજ્ય સરકારની રહેશે.
ત્રણ માળના આ મ્યુઝિયમમાં લોઅર ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફલોર હશે. મ્યુઝિયમમાં 26 વિભાગો હશે, જે ભગવાન રામના જીવન અને વારસાને દર્શાવશે. મ્યુઝિયમમાં ‘રામ દરબાર’ને હોલોગ્રામથી દર્શાવવામાં આવશે. આ ઉપરાંત તેમાં રામ વન પથ’, ‘મહર્ષિ વાલ્મીકિનું હોલોબોક્સ’ વગેરે જોવા મળશે.
એક આખો વિભાગ નવા રામ મંદિરના સ્થાપત્યને લગતો હશે, જે શ્રી રામ જન્મભૂમિનું આંદોલનની ઝાંખી કરાવશે. આઉપરાંત અયોધ્યાના ઇતિહાસનો હોલોગ્રાફિક શો, આઈઆઈટી-મદ્રાસ દ્વારા ‘ઓડિસી ઓફ હનુમાન’, જેમાં ભગવાન હનુમાનની યાત્રાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે વિભાગ હશે.