ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારા ICCની આ ઈવેન્ટ પહેલા સ્ટાર ભારતીય બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો છે. ભારતના ડોન બ્રેડમેન તરીકે જાણીતા સરફરાઝ ખાન છેલ્લે ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સાથે ટેસ્ટ સીરીઝમાં રમતો જોવા મળ્યો હતો.
,
સરફરાઝ ખાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 દરમિયાન ભારતીય સ્ક્વોડનો ભાગ હતો. જો કે, તે સમગ્ર ટુર્નામેન્ટમાં બેન્ચ પર બેસી રહ્યો હતો. તેને એક પણ મેચ રમવાનો મોકો નહતો મળ્યો. ત્યારે સરફરાઝ ખાનને હાલ પાંસળીઓમાં દુખાવાની ફરિયાદ થતા તે હાલ મેદાનમાં ઉતરી શકે એવી સ્થિતિમાં નથી. જેના પગલે હવે તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025થી પણ બહાર રહેવું પડશે. આ ઉપરાંત સરફરાઝ ખાનની ઈજા જોતા તે રણજી ટ્રોફી પણ નહીં રમી શકે. રણજી ટ્રોફીનો આગામી પ્રવાસ 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે અને 26 જાન્યુઆરી સુધી રમાશે.